પોસ્ટ્સ

ઑગસ્ટ, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ભારતીય સમાજ એક બળાત્કારી સમાજ છે? કે પછી સ્વપિડનવૃત્તિ થી ગ્રસિત એક મનોરોગી છે?

છબી
રક્ષાબંધનનો દિવસ હતો.  Whatsapp ઉપર ભાઈ-બહેન ના પ્રેમ અને સંસ્કૃતિના ગુણગાન ગાતા મેસેજ દિવસને ભાવનાત્મક બનાવી રહ્યા હતા. અને એટલામાં જ એક મેસેજ કૈક આવો આવી ગયો.... આ એક જ મેસેજ નહોતો. આવા અનેક મેસેજો આવ્યા જેમાં કેવી રીતે ભારતમાં મહિલાઓનું નિરંતર ઉત્પીડન થઇ રહ્યું છે એના વિષે આપણને  "જાગૃત"  કરવામાં આવી રહ્યા હતા! હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન એ થાય કે શું ભારતીય સમાજ ખરેખર એટલો નીચ અને પિશાચી છે કે આપણાથી આપણા તહેવારો ઉપર પણ પોતાને લજ્જિત કાર્ય વગર રહી શકાતું નથી? શું આપણે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે પણ પોતાને ક્ષોભમાં મુક્યા વગર નથી રહી શકતા? આપણા આ વ્યવહારના બે કારણો હોઈ શકે... ૧.  કાં તો આપણે એક નિર્લજ્જ બળાત્કારી સમાજ છીએ કે જેને રોજ રોજ બળાત્કારો ના કરવા માટે સમજાવવું પડે છે. ૨.  કાં તો આપણો સમાજ સ્વપિડનવૃત્તિથી ગ્રસિત છે માટે આપણને સ્વયંની જ આલોચના કરવામાં મજા આવે છે. હવે આપણે થોડુંક જમીની વાસ્તવિકતાઓ ઉપર દ્રષ્ટિપાત કરી લઈએ.... વિવિધ દેશોના અનેક વિષયોના સર્વેક્ષણ અને તેમની તુલના કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વમાં થતા બળાત્કારોના વિષય ઉપર એક સર્વેક્...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા