દિવ્યભાસ્કર ના સંપાદક કલ્પેશ યાગ્નિક ને ખુલ્લો પત્ર
ભાઈ શ્રી કલ્પેશભાઈ યાગ્નિક, દિવ્યભાસ્કર સમાચારપત્રના સંપાદક તરીકે તમારા તંત્રી લેખ સમયાંતરે આવતા રહે છે. સામાન્ય રીતે આ લેખો છેક છેવાડાના ડાબેરી વિચારો જ પ્રસ્તુત કરતા હોય છે. અધૂરા અને સગવળતા પૂરતા તથ્યોના આધારે કોઈક વિકૃત તર્ક રજુ કરવો એ આ લોખો નો મૂળભૂત ઉદ્દેશ્ય હોય એમ જણાય છે. આજના ૨૪-૦૧-૨૦૧૬ ના આપના તંત્રીલેખ ને ઉદાહરણ તરીકે લઈને આપણે જોઈએ. આજના આપના તંત્રીલેખમાં તમે રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યા ના સંદર્ભમાં એવા મતલબનું લખ્યું કે કેન્દ્રિય મંત્રી દ્વારા હસ્તક્ષેપને લીધે તેને આત્મહત્યા કરવા ફરજ પડી. પરંતુ તમે એ શા માટે ના લખ્યું કે કેન્દ્રિય મંત્રીને શા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો? દલિત હોવાના કારણે રોહિત ને આત્મહત્યા કરવી પડી એવા મતલબનું તમે લખ્યું પરંતુ એ શા માટે ના લખ્યું કે રોહિતે યાકુબ મેમણની ફાંસી વિરુદ્ધ થયેલા અભિયાનની આગેવાની કરેલી હતી? તેણે હૈદરાબાદ માં એક પાર્ટી હોલ રાખીને સામુહિક રીતે ગૌ-માંસ ખાવાની પાર્ટીનું આયોજન અને આગેવાની કરેલી હતી એ કેમ ના જણાવ્યું? તમે એ કેમ ના લખ્યું કે રોહિત દ્વારા વારંવાર મારામારી કરવા માટે કોલેજ દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા? કલ્પેશભાઈ તમ...