પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૬

  ભાગ ૬ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  ભાગ ૪ માટે અહી ક્લિક કરો  ભાગ ૫ માટે અહી ક્લિક કરો  સમય અંગ્રેજોની સાથે ચાલી રહ્યો હતો. ૧૮૩૦ના વર્ષથી મેકોલેએ જયારે પોતાની સ્કૂલો શરુ કરી હતી ત્યારે લગભગ બધા વર્ણોના લોકો આર્થિક અને સામાજિક રીતે સંપન્ન અને સુખી હતા. સમાજમાં શૌચ ના પ્રયોજનથી અસ્પૃશ્યતાનું ચલણ હતું ખરું પરંતુ એકબીજાની કોઈ ઈર્ષા કરતુ નહોતું. બધા સમાજ પોતપોતાના પરંપરાગત વ્યવસાય કરીને સહજીવન જીવતા હતા અને જેઓ પોતાનું વર્ણ બદલવા માગતા હતા તેઓ સહજતાથી વર્ણ બદલી નાખતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલી જવાની હતી. ૫૦ વર્ષના અંગ્રેજ સાશને દેશને અત્યંત દરિદ્ર બનાવી દીધો હતો. આર્થિક સંપાદાઓ નાશ પામી રહી હતી. સમાજમાં આર્થિક હિતો માટે આંતરકલહ વધી રહ્યો હતો.   આ સમયે ઉત્તર ભારતના બ્રમ્હાણ સમુદાયને અંગ્રેજો દ્વારા મળેલું શિક્ષણ કામ આવી રહ્યું હતું. બ્રમ્હાનોને પોતાના અંગ્રેજી શિક્ષણને લીધે ઉચ્ચ પદ મળી રહ્યા હતા અને આર્થિક સ્થિતિ પણ સુધરી રહી હતી.   આર્થિક સંપન્નતાને કારણે પોતાના પરંપરાગત વ્યવસાય ઉપરાંત હવે તેઓ પ્રશાશ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૫

  ભાગ ૫ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  ભાગ 3 માટે અહી ક્લિક કરો  ભાગ ૪ માટે અહી ક્લિક કરો  હવે આર્થિક રીતે ક્ષીણ થયેલા, અને શૈક્ષણિક રીતે દરિદ્ર થયેલા ભારતીયોને માત્ર પશ્ચિમી રંગે રંગવાનું કામ બાકી રહ્યું હતું. સન ૧૮૩૬ માં જયારે મેકોલેએ ભારતમાં ઘણી અંગ્રેજી સ્કૂલોની સ્થાપના કરી દીધી હતી ત્યારે તે પોતાના કાર્યથી ખુબ ઉત્સાહિત થઈને એવું માનવા લાગ્યો કે એનું કામ હવે ખુબ સરળ છે. આ જ સમયે તે પોતાના પિતાને પત્ર લખીને કહે છે કે... "આપણી અંગ્રેજી સ્કૂલો ધૂમધામ થી ચાલી રહી છે. હવે તો બધાને પુરતું પ્રક્શીક્ષણ આપવું પણ અઘરું પડી રહ્યું છે. હિંદુઓ ઉપર આપણા શિક્ષણનો ખુબ ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. એવો કોઈ હિંદુ નથી કે જે આપણું શિક્ષણ મેળવ્યા પછી ખરી રીતે પોતાના ધર્મથી જોડાયેલો હોય. હું એવું સ્પષ્ટપણે માનું છું કે શિક્ષણ વિશેની આપણી યોજનાઓને જો પુરતું પ્રોત્સાહન આપવામાં આવશે તો આજથી ૩૦ વર્ષ પછી એક પણ મૂર્તિપૂજક (હિંદુ) નહિ રહે. અને આ બધું તેમને ઈસાઈ બનાવવાનો કષ્ટ ઉઠાવ્યા વિના જ થઇ શકશે. હું એ દિવસના વિચાર માત્ર થી અતિ ઉત્સાહિત થઇ જાઉં છું." આવા જ આત્મવિશ્વાસ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા