શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૩
પ્રાચીન ભારતની ન્યાય વ્યવસ્થા આપણે ભાગ ૧ માં જોયું કે શા માટે ભારત માટે લોકશાહી એ એક આદર્શ શાસન વ્યવસ્થા નથી. આપણે ભાગ ૨ માં જોયું કે પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા કેવી હતી. હવે આપણે આ ભાગમાં જોઈશું કે પ્રાચીન ભારતની ન્યાય વ્યવસ્થા કેવી હતી અને શા માટે એ અત્યારની ખખડધજ વ્યવસ્થા કરતાં ક્યાંય ઉત્કૃષ્ટ હતી. કદાચ વાંચકો વિચારતા હશે કે કાયદા વ્યવસ્થાનો વિષય આ રાજકીય પરિવર્તનના વિષયમાં શા માટે ઘૂસાડવામાં આવ્યો? એનું કારણ એ છે કે રાજકીય વ્યવસ્થા બદલવી શા માટે જરૂરી છે એ સમજવા માટે પણ આપણી વર્તમાન અને પુરાણી ન્યાય વ્યવસ્થા સમજવી ખૂબ જરૂરી છે. સર્વપ્રથમ આપણે અત્યારની ન્યાય વ્યવસ્થા જોઈશું. અત્યારની ન્યાય વ્યવસ્થા ભારતમાં ૧૯૫૦ થી લાગુ છે. આ સંવિધાન દુનિયાના અનેક દેશોના સંવિધાનોમાંથી નર્યો ઉતારો કરીને બનાવવામાં આવ્યું હતું. માત્ર એક જ દેશના સંવિધાનને ધ્યાનમાં લેવાયું નહોતું, અને એ હતો, ભારત દેશ પોતે! તો શું ભારતમાં પોતાનું કોઈ સંવિધાન હતું જ નહીં? યુગો યુગોથી ભારતીય ન્યાય પ્રણાલી કોઈપણ પ્રકારના સંવિધાન વગર જ ચાલતી હતી? સ્વાભાવિક રીતે જ એ શક્ય નથી....