પોસ્ટ્સ

માર્ચ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આટલા પાપો હોવા છતાં ભગવાન કેમ અવતાર લેતા નથી?

  તમે ઘણાને એવું કહેતા સાંભળ્યા હશે કે પૃથ્વી ઉપર આટઆટલા પાપો આચરાતા હોવા છતાં   ભગવાન કેમ અવતાર નથી લેતા ?  એક રાવણને મારવા ભગવાને રામાવતાર ધારણ કર્યો ,  આજે લાખો કરોડો રાવણો હોવા છતાં કેમ આવતા નથી ?  શું ભગવાન તેમણે આપેલું વચન  ' संभवामि युगे युगे '  ભૂલી ગયા ?  વગેરે વગેરે... સૌથી પહેલી વાત તો એ કે જયારે ભગવાન એમ કહે છે કે અધર્મનો નાશ કરવા હું સમયે સમયે અવતાર ધારણ કરીશ ,  ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ એમ પણ કહી દે છે કે વારંવાર નાશ કરવા છતાં પાપ ફરી ફરીને પોતાનો પ્રસાર કરવાનું જ છે. પાપીઓ વધવાના જ છે ,  ધર્મનું નિકંદન નીકળવાનું જ છે. માટે આ તો શ્રુષ્ટિનો ક્રમ જ છે.   તો જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો પછી દુખી શા માટે થવું ?  અને વળી જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો અવતાર ક્યારે લેવો એ શ્રુષ્ટિના રચયિતા ઉપર જ છોડી દઈએ એ જ યોગ્ય નથી ? આમ છતાં જો આપણું માયાગત અહમ આપણને આ વાત સ્વીકારવા ના દેતું હોય અને સતત એ પ્રશ્ન થયા કરતો હોય કે શા માટે ભગવાન અવતાર નથી લેતા તો આ પ્રશ્ન આપણે બીજાને પૂછીએ છીએ એના કરતા એકવાર આપણે પોતાને પૂછી જોઈએ તો કે...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા