આટલા પાપો હોવા છતાં ભગવાન કેમ અવતાર લેતા નથી?
તમે ઘણાને એવું કહેતા સાંભળ્યા હશે કે પૃથ્વી ઉપર આટઆટલા પાપો આચરાતા હોવા છતાં ભગવાન કેમ અવતાર નથી લેતા ? એક રાવણને મારવા ભગવાને રામાવતાર ધારણ કર્યો , આજે લાખો કરોડો રાવણો હોવા છતાં કેમ આવતા નથી ? શું ભગવાન તેમણે આપેલું વચન ' संभवामि युगे युगे ' ભૂલી ગયા ? વગેરે વગેરે... સૌથી પહેલી વાત તો એ કે જયારે ભગવાન એમ કહે છે કે અધર્મનો નાશ કરવા હું સમયે સમયે અવતાર ધારણ કરીશ , ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ એમ પણ કહી દે છે કે વારંવાર નાશ કરવા છતાં પાપ ફરી ફરીને પોતાનો પ્રસાર કરવાનું જ છે. પાપીઓ વધવાના જ છે , ધર્મનું નિકંદન નીકળવાનું જ છે. માટે આ તો શ્રુષ્ટિનો ક્રમ જ છે. તો જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો પછી દુખી શા માટે થવું ? અને વળી જો આ શ્રુષ્ટિનો ક્રમ જ હોય તો અવતાર ક્યારે લેવો એ શ્રુષ્ટિના રચયિતા ઉપર જ છોડી દઈએ એ જ યોગ્ય નથી ? આમ છતાં જો આપણું માયાગત અહમ આપણને આ વાત સ્વીકારવા ના દેતું હોય અને સતત એ પ્રશ્ન થયા કરતો હોય કે શા માટે ભગવાન અવતાર નથી લેતા તો આ પ્રશ્ન આપણે બીજાને પૂછીએ છીએ એના કરતા એકવાર આપણે પોતાને પૂછી જોઈએ તો કે...