પોસ્ટ્સ

2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કર્મ સિદ્ધાંત - ભાગ 6 - માનસિક કર્મોનું ફળ કેવી રીતે મળે છે?

છબી
આ લેખ શ્રેણીના પાછલા અંકમાં આપણે જોયું: કર્મ સિદ્ધાંત - ભાગ 5 - ભાગ્ય વધુ બળવાન કે કર્મ? કર્મોથી મુક્તિ કઈ રીતે મળે? શા માટે ભક્તો વધુ દુઃખી હોય છે? આ લેખમાં આપણે જોઈશું કે: માનસિક કર્મોની શું ગતિ હોય છે? શું કોઈને મનમાં ભાંડવાથી, કોઈનું અહિત ઇચ્છવાથી, કે મનોમન ભગવાનનું સ્મરણ કરવાથી ફળ મળે છે? શું ઓનલાઇન હિંસક વિડીયો ગેમ રમવાથી કે હસ્તમૈથુન કરવાથી પાપ લાગે છે? -------------------------------------------------------------------------------- માનસિક કર્મોની શું ગતિ હોય છે? આપણે અગાઉ જોયું એમ કર્મની ગતિ બહુ ગહન હોય છે. પણ માનસિક કર્મોની ગતિ તો એનાથી પણ વધુ ગહન હોય છે. શાસ્ત્રોના સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો કોઈપણ કર્મ પાછળની ભાવના જ કર્મનું કેવું ફળ મળશે એ નક્કી કરે છે. કોઈપણ કર્મ મનમાં પહેલા થાય છે અને પછી ભૌતિક રીતે કરવામાં આવે છે. આ માટે મનથી કરેલા કર્મનું ફળ તો મળવાનું જ, ભલેને પછી ભૌતિક રીતે એ, કોઈપણ કારણસર, કરવામાં ના આવ્યું હોય. કોઈની હત્યા કરવાનું જો માનસિક કર્મ કર્યું હોય, પણ ભૌતિક રીતે ના કરી શકીએ, તો પણ એ માનસિક કર્મ તો થયું જ ગણાય. આ સાથે, શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું...

હાં. પ્રભુ શ્રી રામજીનો સીતા ત્યાગ યોગ્ય હતો. અને ઉત્તર રામાયણ પ્રક્ષિપ્ત નથી.

છબી
આજકાલ સામાન્ય લોકોની તો શું વાત કરવી, કેટલાક ધર્માચાર્યો અને કથાવાચકો પણ કહેતા રહે છે કે રામજીએ સીતા માતાનો ત્યાગ ન કરવો જોઈએ. આપણા લાખો વર્ષોના ઇતિહાસમાં કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ માન્ય સંપ્રદાયના આચાર્યએ આવું ક્યારેય નથી કહ્યું, પરંતુ આજના આ કહેવાતા મહાજ્ઞાની લોકો - નારીવાદીઓના પ્રભાવ હેઠળ આવીને - અનર્ગળ બકવાસ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે શાસ્ત્રોને સમજવાની યથાર્થ દૃષ્ટિ નથી. ચાલો જોઈએ કે આ નિર્લજ્જ લોકો દ્વારા પ્રભુ શ્રી રામ પર કેવા કેવા આરોપો લગાવવામાં આવે છે. ------------------------------------------------------------------ મારું પોતાનું મંતવ્ય સૌપ્રથમ હું મારું મંતવ્ય જણાવી દઉં. હું પ્રભુ શ્રી રામ અને માતા જાનકીનો - અને સમસ્ત પંચદેવોનો - ભક્ત છું. તેથી તેમણે કંઈ પણ ખોટું કર્યું હોય એવું હું ન તો વિચારી શકું, ન માની શકું. ભગવાનના અવતારોની લીલા રસાસ્વાદન માટે હોય છે, ભાવવિભોર થવા માટે હોય છે, ભક્તિના સાગરમાં ડૂબી જવા માટે હોય છે... ટીકા-ટીપ્પણી, આલોચના, તર્ક-વિતર્ક-કુતર્ક કરવા માટે નહીં. અવતાર કંઈ પણ ખોટું કરતા નથી. દરેક હિન્દુનો આપણા શાસ્ત્રો પ્રત્યેનો દૃષ્ટિકોણ આવો જ હોવો જો...

હિન્દુ સંસ્કૃતિ આટલી ઉત્કૃષ્ટ હોવા છતાં આજે હિન્દુઓની સ્થિતિ આટલી દયનીય કેમ છે?

છબી
પ્રશ્ન: ઇતિહાસમાં હિંદુ એટલા શક્તિશાળી હતા, તેના પોતાના ઘણા દેશો હતા, તો પણ તે કેમ હંમેશાં હારતું રહ્યા? હિંદુ ધર્મ આજે સૌથી પવિત્ર અને કલ્યાણકારી ધર્મ છે, બાકીના બધા તો અધર્મ જ છે, તો પછી હિંદુઓની આજે આટલી દયનીય સ્થિતિ કેમ છે? ઉત્તર:   આ પૃથ્વી પર આર્ય જાતિ ફક્ત આપણે હિન્દુઓ જ છીએ, બાકી બધી મ્લેચ્છ જાતિઓ છે. ઇતિહાસનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે છેલ્લાં ૨૦૦૦ વર્ષોમાં અલગ-અલગ મ્લેચ્છ જાતિઓ પોતાના વૈભવ અને સુખની ચરમસીમા પર હતી. ક્યારેક શક, ક્યારેક હૂણ, ક્યારેક મંગોલ, ક્યારેક અરબ, અને આજકાલ આંગ્લ પ્રજા (વર્તમાન ગોરી જાતિ) પોતાના વૈભવની ચરમસીમા પર છે. આ પ્રજાઓએ એવું કયું કર્મ કર્યું છે કે તેઓ આટલું સુખ પ્રાપ્ત કરી રહ્યા છે? શાસ્ત્રો અનુસાર, નાસ્તિક લોકો જ્યારે ઈશ્વરને અર્પણ કરવાની ઇચ્છા વિના પુણ્યકર્મ કરે છે, ત્યારે તેમને મ્લેચ્છ દેશોમાં વૈભવશાળી જીવનનું ફળ મળે છે. આવા લોકો પોતાનું ફળ ભોગવીને ફરીથી પુણ્યશૂન્ય થઈ જાય છે અને કર્મોના બંધનમાં બંધાય છે. જ્યારે કોઈ આસ્તિક વ્યક્તિ ઈશ્વર પ્રત્યેના પ્રેમને જ કેન્દ્રસ્થાને રાખીને પુણ્યકર્મ કરે છે, તે ભારત દેશમાં સુખ પણ ભોગવે છે અને આધ્યાત્મિક...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા