પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગણપતિ સ્થાપના, પૂજા, વિસર્જન કઈ રીતે કરવું અને શા માટે કરવું?

છબી
  Everything That You Want To Know About Ganpati Sthapna ગણપતિ દેવનું મહાત્મ્ય: સનાતન ધર્મમાં પ્રત્યેક લૌકિક અને પારલૌકિક કર્યો માટે કોઈ ને કોઈ  “Specialist”  દેવતાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેજ પ્રાપ્તિ માટે સૂર્ય, બાળ અને બ્રમ્હચર્ય માટે હનુમાનજી, ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી, વિનાશ માટે ભૈરવ, દુર્ગા, કાળી વગેરે દેવતા ઉપલબ્ધ છે. આવી જ રીતે કાર્યારંભ અને વિઘ્ન વિનાશ નું  “Department”   ગણપતિ દેવને આધીન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમની પત્નીઓ છે. રિદ્ધિનો અર્થ છે એવી સમૃદ્ધિ કે જે સંતોષદાયી અને સુખદાયી હોય. અને સિદ્ધિનો અર્થ છે કોઈ પણ કળા અથવા કૌશલને હસ્તગત કરવું. આમ સ્વાભાવિક રીતે જ એ સ્પષ્ટ થાય છે કે ગણપતિ દેવ રિદ્ધિ અને સિદ્ધિને પ્રાપ્ત કરવામાં આવતા વિઘ્નોનો નાશ કરે છે. જયારે એક સાધક અથવા યોગી પોતાની સાધના કરે છે ત્યારે હંમેશા તેને પોતાના સાધ્યને પ્રાપ્ત કરવામાં અનેક વિઘ્નો આવતા હોય છે. ઉદાહરણ તરીકે, પરમેશ્વર પ્રાપ્તિની સાધના કરી રહેલો યોગી જયારે પોતાની સદ્ધનાની મધ્યમાં હોય ત્યારે તેને ભ્રમિત કરવા વાળી અનેક સિદ્ધિઓ તેને મળતી હોય છે. આ સિદ્ધિઓ લોભામણી હોય ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા