પોસ્ટ્સ

નવેમ્બર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રામ મંદિર બનાવો - વિથ નો કોમ્પ્રોમાઇસ

છબી
  તાજેતરમાં જ સંઘના વડા ,  સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીએ એક સભામાં હુંકાર સાથે કહ્યું કે રામ જન્મભૂમી ઉપર માત્ર ને માત્ર મંદિર જ બની શકે અને તે વિષયમાં કોઈપણ બાંધછોડને અવકાશ નથી. રામજન્મભૂમિના વિવાદનો નિવેડો કઈ રીતે લાવવો એ વિષે વર્ષોથી વિવિધ વિચારધારા વાળા લોકો વિવિધ સૂચનો આપી રહ્યા છે. આવા મોટા ભાગના સૂચનો રામ જન્મભૂમીના સ્થાન ઉપર એકમાત્ર મંદિર ના બને એમ ઈચ્છતા લોકો જ આપી રહ્યા છે. આ વાત સમજવા માટે આપણે અત્યાર સુધી પ્રસ્તુત કરવામાં આવેલા દરેક સમાધાનોને એક એક કરીને ટૂંકમાં જોઈશું ,  અને તેમાં મંદિર માટેના પક્ષકારોનો દ્રષ્ટિકોણ પણ જોઈશું કે જેથી વાચકો આ આખા વિષયને સ્પષ્ટ રીતે સમજી શકે, અને એ પણ સમજી શકે કે આ વિવાદ શું અને શા માટે છે. ૧. બાબરી મસ્જીદ ઢાંચો અત્યારે છે તે જેમનો તેમ રાખવો જોઈએ અને ત્યાં હવે આગળ કોઈપણ બાંધકામ નાં થવું જોઈએ. અને જો કોઈ કામ કરવું હોય તો ત્યાં બાબરી મસ્જીદ ફરીથી બનાવવાનું કામ કરવું જોઈએ. મંદિરના પક્ષકારો:  આ ઉકેલ સ્વાભાવિક રીતે જ મંદિરના પક્ષકારોને માન્ય નથી. ન્યાયાલયોમાં પહેલેથી જ એ પ્રમાણિત થઇ ચુક્યું છે કે તે જગ્યાએ પહેલા રામ મંદિર હતું જે...

જવાહરલાલ નેહરુના ૨૬ અપરાધો

મિત્રો, હું કોઈ નેહરુ વિશેષજ્ઞ નથી. હું જે કાઈ લખવા જઈ રહ્યો છું એ માત્ર મારો સીમિત અભ્યાસ જ છે. છતાં પણ આ આખી સૂચી એટલી લાંબી થવા જઈ રહી છે કે તમે પણ વિચારમાં પડી જશો કે જો કોઈ આ વિષય ઉપર એક ખોજપત્ર લખે તો કેવડો મોટો થાય. શું તમે જાણો છો કે ૧૪ નવેમ્બરને નેહરુ ની યાદમાં બાળ દિવસ શા માટે મનાવવામાં આવે છે? એવું તે શું વિશેષ કરી દીધું નેહરુએ બાળકો માટે કે તેમના નામે બાળ દિવસ ઉજવાય છે? શું તમે જાણો છો કે દેશના "ચાચા" ની ઉપાધી નેહરુને શા માટે દેવામાં આવી? હું પણ નથી જાણતો  😋 હાહા... ચાલો, હવે વધુ સમય ના લેતા હું સીધો સીધો મુદ્દા ઉપર આવું છું... આપણા દેશને સ્વતંત્ર થયા પછી એક દૂરદર્શી અને રાષ્ટ્રવાદી નેતૃત્વની આવશ્યકતા હતી. પરંતુ મળ્યું આનાથી તદ્દન ઉલટું! આ જ કારણ છે કે આજે આપણા દેશની લગભગ દરેક સમસ્યાઓની સાથે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુ જોડાયેલા છે. નેહરુની ભૂલો ને "ભૂલ" કહેવી એ "ભૂલ" શબ્દ નું અપમાન છે. એમને કમસે કમ "અપરાધ" કહી શકાય, અને જો "દેશદ્રોહ" કહેવામાં આવે તો પણ ઘણા લોકો આની સાથે સહમત થશે. નેહરુના અપરાધોનો કાળો ચિઠ્ઠો...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા