પોસ્ટ્સ

જૂન, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કર્મસિદ્ધાંત - ભાગ ૨ - શું સ્વર્ગ-નરક જેવું કંઈક હોય છે? ગરુડ પુરાણમાં વર્ણવેલ યાતનાઓ શું સાચી છે?

પાછલા ભાગમાં આપણે જોયું કે કર્મ કેટલા પ્રકારના હોય છે . પરંતુ જો બધા કર્મ મનુષ્ય યોનિમાં જ ભોગવવાના હોય તો પછી સ્વર્ગ, નરક વગેરે લોકો શા માટે બનાવવામાં આવ્યા છે? શું સ્વર્ગ-નરક જેવું કંઈક હોય છે? મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન ઘણાં એવાં કર્મો કરે છે, જેનો ભોગ મનુષ્ય શરીરથી ન થઈ શકે. મનુષ્ય શરીરની કેટલીક મર્યાદાઓ હોય છે. તે એક મર્યાદાથી વધુ દુઃખ કે સુખ સહન નથી કરી શકતું. મનુષ્યોની સરખામણીએ પશુઓમાં ભોગની ક્ષમતા વધુ હોય છે, પરંતુ તેમની પણ મર્યાદા હોય છે. કેટલાંક ઘોર પાપ એવાં હોય છે, જેનું ફળ અતિકઠોર હોય છે, જેમ કે ગરુડ પુરાણમાં જઘન્ય પાપો માટે તેલના તવામાં વારંવાર તળવું વગેરે જેવી ભયંકર યાતનાઓનું વર્ણન છે. આ યાતનાઓ કોઈ પણ લૌકિક શરીર સહન નથી કરી શકતું, ન મનુષ્ય કે ન પશુ. એ જ રીતે, કેટલાંક પુણ્ય એટલાં મોટાં હોય છે કે જેનું ફળ આપણે આ શરીરથી ભોગવી નથી શકતા. જેમ કે, તમને કોઈ વ્યંજન ખૂબ ગમે છે, પરંતુ તમે તેને એટલું જ ખાઈ શકો જેટલી તમને ભૂખ હોય. તે પછી તમે ઈચ્છો તો પણ ખાઈ નથી શકતા.   ઉપરોક્ત મર્યાદાઓને કારણે જ સ્વર્ગ અને નરકની રચના કરવામાં આવી છે. જ્યારે જીવાત્મા સ્વર્ગમાં જાય છે, ત્યારે...

કર્મ સિદ્ધાંત - ભાગ ૧ - કર્મો કેટલા પ્રકારના હોય છે?

છબી
ॐ श्री गणेशाय नमः લોકોને પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક, સુખ-દુખ વિષે અનેક પ્રશ્નો હોય છે. અને જયારે એ પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર નથી મળતો ત્યારે તેમનામાં અશ્રદ્ધાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, અને અંતે નાસ્તિકતા આવી જાય છે. સામાન્ય માણસો જ નહિ, મોટા મોટા વિદ્વાનો પણ આ વિષયમાં અજ્ઞાનના કારણે પોતે પણ અશ્રદ્ધાવાન બનતા જોવા મળ્યા છે અને બીજાઓને પણ નાસ્તિક બનાવે છે. અમુક કહેવાતા વિદ્વાન લોકો કહે છે કે - "બધું આહી નું અહી જ છે". પણ જયારે સારા માણસોને દુખી થતા જુવે છે ત્યારે પોતાની આ માન્યતા તરફ અશ્રદ્ધા ઉપજે છે, અને અંતે નાસ્તિક બનીને પોતાની અધોગતિ કરી લે છે. આ કારણે, લોકોનું અજ્ઞાન દુર થાય, અને ઈશ્વરમાં શ્રદ્ધા બેસે એ હેતુથી આ "કર્મ સિદ્ધાંત" શ્રુંખલા અંતર્ગત હું શાસ્ત્રસંમત રીતે કર્મોની ગતિ, કર્મોનું વિજ્ઞાન, સ્વર્ગ-નર્ક, કર્મોના પ્રકાર વગેરે વિષયો ઉપર વિશદ છણાવટ કરવાનો પ્રયત્ન કરીશ. આ શ્રુંખલાના શ્રદ્ધાવાન પાઠકોને આ શ્રુંખલા પૂરી થતા સુધીમાં મનમાં કોઈપણ પ્રકારના સંશય કે પ્રશ્નો ના રહે એ માટે હું પ્રયત્ન કરીશ. ભગવાન મને આ માટે યથોચિત સામર્થ્ય આપે એવી પાર્થના સહ...   ----------------...

શું "જિંદગી ના મિલેગી દોબારા" એવું વિચારવું સાચું છે?

શું "જિંદગી ના મિલેગી દોબારા" એવું વિચારવું સાચું છે? આ એક ભોગવાદી વિચારધારા છે, જેના મૂળ અબ્રાહમીક ધર્મો સાથે જોડાયેલા છે. અબ્રાહમીક ધર્મો માને છે કે આ સમગ્ર વિશ્વ મનુષ્યો - અને ખાસ કરીને પુરુષોના ઉપભોગ માટે બનાવવામાં આવ્યું છે. તેઓ પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતને માનતા નથી, તેથી તેઓ એવું જ વિચારે છે કે એક જ તક મળી છે ભોગો ભોગવવાની, પછી તો મરણ પછી કબરમાં પડ્યા પડ્યા કયામતની રાહ જોવાની છે. તેથી જેટલા વધુ ભોગો ભોગવી શકાય તેટલું સારું. આનાથી વધુ મૂર્ખામીભરી અને અંધકારમય વિચારધારા બીજી હોઈ જ ન શકે. આપણી સંસ્કૃતિ આ વિષયમાં સ્પષ્ટ, ગહન અને પ્રામાણિક છે. આ સમગ્ર સૃષ્ટિ દેવતાઓથી બની છે. સૃષ્ટિનું શોષણ આપણે કરી શકીએ છીએ, જે આપણા પોષણ માટે જરૂરી છે, પરંતુ અવિચારી ઉપભોગથી તેનો સંહાર કરવો નિષિદ્ધ છે. અને આપણા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. કર્મોનું ફળ ભોગવ્યા વિના કોઈ છૂટકારો નથી. આપણને જીવન એકવાર નહીં, વારંવાર મળે છે, અને અનેક પશુ-પક્ષીઓની યોનિમાં આપણે, કર્મોનું ફળ ભોગવવું પડે છે. જે ભોગોને આપણે ભોગવવાની વાત કરીએ છીએ, તે બધા ભોગો આપણે અનેકવાર, અનેક જન્મોમાં ભોગવી ચૂક્યા છીએ. આપણે...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા