શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?
જો તમે 10માં ધોરણથી વધુ ભણેલા હશો તો સતીપ્રથા, વિધવા વિવાહ નિષેધ, રાજા રામમોહન રાય વગેરે વિષે વાંચ્યું જ હશે. આમ તો આપણા કમનસીબે - ના ના; સદનસીબે - આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ એટલી ખરાબ રીતે ભણાવાય છે કે કોઈપણ વ્યક્તિ એને યાદ રાખી ના શકે. પણ ખાસ કરીને આ સતીપ્રથા જ્યાં ને ત્યાં, હાલતા ને ચાલતા આપણને એટલું બધું યાદ કરાવવામાં આવે છે કે આપણે ભૂલી શકતા નથી કે આપણા પૂર્વજો કેવા પિશાચી હતા, કે જેઓ પોતાની વહુઓને જીતવી ચિતામાં પરાણે હોમી દેતા હતા! અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયાને "પ્રથા" નું નામ આપવામાં આવ્યું છે. હવે પ્રથા હોવાનો નિયમ એ છે કે એ સમાજ દ્વારા વ્યાપકપણે અનુસરાતી હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે સમાજની બધી વિધવાઓને તેના પતિની ચિતામાં જીવતી હોમી દેવામાં આવતી હતી. શું આ માની શકાય એવી વાત છે? જો એવું હોત તો કોઈના કુળમાં કોઈ વિધવા ડોશી ના હોવી જોઈએ! અને દરેક કુળમાં ઓછામાં ઓછી 15-20 સતીઓ હોવી જોઈએ, કારણકે આ પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે! શું આવું વાસ્તવમાં છે? જો નથી તો આપણને આ પ્રશ્ન શા માટે નથી થતો? મેં બહુ ઓછા પરિવારો જોયા છે કે જેમના કુળમાં કોઈ સતી હોય. પણ ...