પોસ્ટ્સ

2015 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૩

  ભાગ ૩ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભાગ 2 માટે અહી ક્લિક કરો  હવે મેકોલે ભારતના Education Board નો ચેરમેન બની ગયો હતો. તરતજ મેકોલેએ પોતાનું અભિયાન ગતિમાન કરી દીધું અને ભારતમાં મિશનરી સ્કૂલોની સ્થાપના થવા લાગી. મેકોલેનો ઉદ્દેશ્ય ભારતીયોને માત્ર બ્રિટનના દાસ બનાવવાનો ન હતો, પરંતુ બધા ભારતીયોને ખ્રિસ્તી બનાવવાનો પણ હતો. મેકોલેનું આ અભિયાન ખુબ અઘરું હતું. મેકોલે ને એ વાત સમજતા વાર ન લાગી કે ભારતીય સમાજ માત્ર શિક્ષણના આધાર ઉપર નથી ટકી રહ્યો, પરંતુ તેની સમાજ વ્યવસ્થા જ એટલી મજબૂત છે કે જેને જરાસરખી હલાવવી પણ ખુબ અઘરી છે. પરાપૂર્વથી દેશના ગામડે ગામડે ૩૫% થી ૫૦% જેટલી જમીન ખુલી છોડવામાં આવતી હતી કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નહોતી, પરંતુ આખા ગામની તેના ઉપર સામુહિક માલિકી હતી. આ ભૂમિને ગોચરની ભૂમિ પણ કહેવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર સામુહિક પ્રસંગ થતા હતા, ઔષધિઓ ઉગાડાતી હતી, ત્યોહારોની ઉજવણી થતી હતી, યાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જળાશય બનાવવામાં આવતા હતા, ગાયોને અને બીજા પાળીતા પશુઓને ત્યાં ચરાવવામાં આવતા હતા વગેરે. આ ભૂમિ ઉપર પાઠશાળા અને ગુરુકુળ પણ ચલાવવામ...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

  ભાગ ૨ ભાગ ૧ માટે અહી ક્લિક કરો  ભારતના શૈક્ષણિક નિકંદનની આ કરુણ કથાનો આરંભ થાય છે ૧૮૩૫ થી કે જયારે લોર્ડ મેકોલે આખા ભારતનું સર્વેક્ષણ કરીને બ્રિટીશ સંસદમાં પોતાનો પ્રસ્તાવ મુકે છે. .. " હું ભારતના ખૂણે ખૂણે ફરીને આવ્યો છું અને મેં ત્યાં એકપણ વ્યક્તિ એવી નથી જોઈ કે જે ભિખારી હોય કે ચોર હોય. એટલી સંપત્તિ જોઈ છે, એટલા ઉચ્ચ આદર્શો જોયા છે, એટલા સક્ષમ લોકો જોયા છે, કે મને લાગે છે કે આપણે કોઈ દિવસ આ દેશ ઉપર રાજ ના કરી શકીએ. જો આ દેશને જીતવો હોય તો આપણે તેમની સભ્યતાના પાયામાં રહેલી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને તોડવી પડશે. એટલા માટે હું એવો પ્રસ્તાવ રજુ કરું છું કે એમની પારંપરિક શિક્ષણ પ્રણાલી અને સંસ્કૃતિને એવી રીતે બદલી નાખવામાં આવે કે જેનાથી તેઓ એવું વિચારતા થઇ જાય કે જે કાંઈ પણ વિદેશી છે એ બધું એમના પોતાનાથી ઉત્તમ અને મહાન છે. તેઓ પોતાનું આત્મસન્માન ખોઈ બેસશે, પોતાની પૌરાણિક સંસ્કૃતી ભૂલી જશે, અને અંતમાં તેઓ એ જ બની જશે તે આપણે તેમને બનાવવા છે.... એવું એક રાષ્ટ્ર કે જેની ઉપર આપણું સંપૂર્ણ પ્રભુત્વ હશે" . -- લોર્ડ થોમસ મેકોલે, બ્રિટીશ સંસદ, ૧૮૩૫ --------------------------...

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૧

ભાગ – ૧ “તમે અંગ્રેજોએ ભારતીય શિક્ષણ પ્રણાલીનું એક સુંદર વટવૃક્ષ કાપી નાંખ્યું છે, જેના કારણે આજનો ભારતીય સમાજ જેટલો ૧૦૦ વર્ષ પેલા નિરક્ષર હતો એના કરતા અનેક ગણો નિરક્ષર આજે છે”  – ગાંધીજી. આ શબ્દો હતા ૧૯૩૧માં, ગોળમેજી પરિષદમાં, ભારતનું નેતૃત્વ કરી રહેલા ગાંધીજી ના. બ્રિટીશ સાંસદ ફિલિપ હર્તોગે ગાંધીજીને તેમના આ કથનને તથ્યોના આધારે પુરવાર કરવા માટે પડકાર ફેંક્યો. ગાંધીજીએ કહ્યું કે તેઓ તેમનું કથન પુરવાર કરીને બતાવશે.   પરંતુ સમય સમાપ્ત થઇ ગયો હતો એટલે ગાંધીજી પોતાનું કથન પુરવાર ના કરી શક્યા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં આવીને શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાંખ્યો અને દેશને સાક્ષરતા પ્રદાન કરી. જયારે ગાંધીજી તો આ માન્યતાથી બિલકુલ વિપરીત વાત કરી રહ્યા હતા. એ તો કહી રહ્યા હતા કે અંગ્રેજોએ ભારતમાં આવીને ભારતીયોને નિરક્ષર બનાવી દીધા! દુર્ભાગ્યવશ ઇતિહાસે ત્યારબાદ ગાંધીજીને ક્યારેય એ મોકો ના આપ્યો કે તેઓ પોતાનું આ કથન પુરવાર કરી શકે. પરંતુ જે સત્ય હતું એ તો ક્યારેક ને ક્યારેક તો ઉજાગર થઈને જ રહેવાનું હતું. તો આવો જોઈએ કે ગાંધીજી પોતાના એ કથનમાં કેટલા સાચા હતા, અને અં...

ભાષા અને સંસ્કૃતિ - બે જોડકી બહેનો

  એક સામાન્ય ગુજરાતી તરીકે જયારે તમે કોઈ બીજા ગુજરાતીને ફાંકડું અંગ્રેજી બોલતા જુઓ ત્યારે તમારા મનમાં તે વ્યક્તિ વિષે પહેલી છાપ શું પડે છે ?  અને વળી જયારે કોઈ બીજો ગુજરાતી કે જે એકદમ શુદ્ધ અને ભારે ગુજરાતી બોલે છે ,  એવી વ્યક્તિને જોઇને શી લાગણી થાય છે ?  જો તમે નિરીક્ષણ કર્યું હશે તો સમજાશે કે અંગ્રેજી બોલતી વ્યક્તિને સામાન્ય રીતે વ્યાવસાયિક શિક્ષણમાં સુશિક્ષિત અને સ્પર્ધાત્મક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. જયારે શુદ્ધ ગુજરાતી બોલતી વ્યક્તિને એક ખુબ સંસ્કારી ,  વિવેકી અને પ્રામાણિક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આવું કેમ ?  શું અંગ્રેજી બોલતી વ્યક્તિ સંસ્કારી અને ગુજરાતી બોલતી વ્યક્તિ સ્પર્ધાત્મક તથા સુશિક્ષિત ના હોઈ શકે ?  બેશક હોઈ શકે! તો પછી આપણને આવી લાગણી થવાનું કારણ શું ?  કારણ છે ભાષા સાથે જોડાયેલ સંસ્કૃતિનો તફાવત! દાયકાઓથી આપણે અંગ્રેજીને – સાચી કે ખોટી રીતે - ભૌતિક રીતે ઉન્નત સંસ્કૃતિઓની ભાષા તરીકે જોતા આવ્યા છીએ. જયારે ગુજરાતીને આપણે આપણી મહાન સંસ્કૃતિના પ્રતિક રૂપે જોઈએ છીએ. આનો અર્થ એ થયો કે કોઈ પણ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ તેની ભાષા દ્...

બોલીવુડના રૂપેરી પડદાની બિહામણી બાજુ

હિંદુ મંદિરો અને સાધુઓને વાખોડતી વધુ એક નવી હિન્દી ફિલ્મ PK આવી. મેં ફિલ્મ જોઈ નથી માટે તેના વિષે વધુ ટીપ્પણી તો નહિ કરું પરંતુ બોલીવુડના ભૂતકાળ અને વર્તમાનનું મેં જે નિરીક્ષણ કર્યું છે તેની વાત હું અહી કરીશ. જો તમે બોલીવુડનું મગજના દ્વાર ખુલ્લા રાખીને નિરીક્ષણ કર્યું હશે તો તમને નીચેમાંના કોઈક પ્રશ્નો તો અચૂક થયા હશે. શા માટે સની દેઓલ જેવા હીરોએ ગદર, બોર્ડર અને ધ હીરો જેવી સુપરહિટ, પણ પાકિસ્તાન વિરોધી ફિલ્મો કર્યા પછી તેને અને તેના ભાઈ બોબી દેઓલને પોતાની કારકિર્દીથી હાથ ધોવા પડે છે? શા માટે દાયકાઓથી હિન્દી ફિલ્મો ગુંડા-મવાલીઓને હીરો રૂપે રજુ કરતી આવી છે? અંધારી આલમના ડોનને આટલા ઉજળા શા માટે બતાવવામાં આવે છે? શા માટે સંજય દત્ત જેવા મવાલીની આતંકવાદીઓ સાથેની ઘનિષ્ઠતા પુરવાર થયા પછી પણ એની કારકિર્દી નવી ઊંચાઈઓ  આંબે છે અને એટલું જ નહિ, એની ત્યારબાદની દરેક ફિલ્મોમાં તેને એક મસીહા રૂપે રજુ કરાય છે અને ફિલ્મના બાકીના દરેક કલાકારો રીતસર તેની ભક્તિ કરતા જોવા મળે છે! શા માટે લાગુ પડતી દરેક ફિલ્મની શરૂઆત, મધ્યમાં અને અંતે એમ જ સમજાવવામાં આવે છે કે આતંકવાદીઓ અન્યાયના શિકાર બનેલા હોય છે? શા મા...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો