કર્મ સિદ્ધાંત - ભાગ 4 - શું પાછલા જન્મના લોકો ખરેખર આ જન્મમાં ફરીથી મળે છે?

આપણે પાછલા ભાગમાં જોયું કે કર્મોની ગતિ કેટલી ગહન હોય છે. તેમાં "ઋણાનુબંધ" નો પણ ઉલ્લેખ થયો હતો. ઋણાનુબંધનો અર્થ છે. કોઈની સાથે વ્યક્તિના ઋણથી બનેલું બંધન કે કોન્ટ્રાક્ટ. આજે આપણે વિષય પર ચર્ચા કરીશું.

લેખમાં આપણે જોઈશું કે:
  1. શું ખરેખર પૂર્વ જન્મના લોકો જન્મમાં મળે છે?
  2. શું કોઈને પોતાનો આગલો જન્મ પસંદ કરવાનો વિકલ્પ મળે છે?
  3. શું પતિ-પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે?
  4. આગલો જન્મ મળવાનો શું આધાર હોય છે?
  5. જો મૃત્યુ સમયે ફરી જન્મ લેવાની ઈચ્છા હોય તો શું ફરી જન્મ મળશે?
  6. શ્રાદ્ધ-તર્પણ શા માટે જરૂરી છે?
----------------------------------------------------------------------------------

શું ખરેખર પૂર્વ જન્મના લોકો આ જન્મમાં મળે છે?

લોકો ઘણીવાર કહે છે કે અમુક વ્યક્તિ સાથે તેનું પાછલા જન્મનું ઋણ છે, તેથી આ જન્મમાં તે આટલું દુઃખ કે સુખ આપે છે. શું ખરેખર આવું થાય છે? આ વિચારના બે પાસાં છે.
  1. આદિ શંકરાચાર્યજી પોતાના ભાષ્યમાં કહે છે કે બે વ્યક્તિઓ એકબીજા સાથે એક જન્મમાં એવી રીતે મળે છે જેવી રીતે સમુદ્રમાં બે લાકડાના ટુકડા એકબીજા સાથે અથડાય છે. આનો અર્થ એ થાય છે કે એકવાર અથડાયા પછી બંને અગાધ સમુદ્રમાં ક્યાંક ખોવાઈ જાય છે અને તેમના ફરીથી અથડાવાની સંભાવના લગભગ શૂન્ય જ હોય છે. એટલે કે, કોઈ કોઈની સાથે ફરીથી મળતું નથી.
  2. શાસ્ત્રોમાં—અને ખાસ કરીને જ્યોતિષમાં—"ઋણાનુબંધ" શબ્દનો ઉલ્લેખ વારંવાર થાય છે. જ્યોતિષમાં તો ગ્રહોના કેટલાક સંયોગ એવા જણાવવામાં આવ્યા છે કે તમે સ્પષ્ટ રીતે કહી શકો કે વ્યક્તિ તેના સગા સંબંધી સાથે પૂર્વજન્મના કેટલાક ઋણ લઈને આવ્યો હશે. જેમ કે, ચતુર્થ ભાવના ગુરુના કેટલાક સંયોગ એવું સૂચવે છે કે જાતક પાછલા જન્મમાં પણ તે જ કુળમાં જન્મ્યો હતો. સપ્તમ ભાવ અને શુક્રના કેટલાક સંયોગ એ સૂચવે છે કે આ પતિ-પત્નીના યુગલે પાછલા જન્મમાં એકબીજાને કેટલાક વચનો આપ્યા હતા, જે તેઓ આ જન્મમાં પૂર્ણ કરવા આવ્યા છે.
તો આ બંને વાતો કેવી રીતે શક્ય છે? શાસ્ત્રો તો ક્યારેય જૂઠા હોઈ જ ન શકે. તો શું આદિ શંકરાચાર્યજીએ જૂઠું બોલ્યું? એ પણ શક્ય નથી, કારણ કે તેઓ પણ ઈશ્વરના અંશાવતાર હતા. તો પછી સત્ય શું છે?

શંકરાચાર્યજીના કથનનું સત્ય

સત્ય સમજવા માટે જો તમે આ શ્રેણીનો પાછલો લેખ — કર્મ સિદ્ધાંત, ભાગ 3 — ન વાંચ્યો હોય તો સૌથી પહેલા તે વાંચો. એ લેખમાં મેં સ્પષ્ટ કર્યું છે કે કર્મોની ગતિ કેટલી ગહન હોય છે. એક જ કર્મ માટે, કે એક વ્યક્તિનું ઋણ ચૂકવવા માટે જન્મ લેવો લગભગ અશક્ય જેવું છે, કારણ કે બંને વ્યક્તિઓના પોતાના અન્ય કર્મો પણ હોય છે. તેમના કર્મો અનુસાર બંનેનો મનુષ્ય જન્મ એકસાથે થાય એવું થવું પણ અત્યંત મુશ્કેલ છે, અને એ પણ જરૂરી નથી કે બધા કર્મો મનુષ્ય દેહમાં આ જ પૃથ્વી પર ભોગવવામાં આવે. દરેકની પોતાની કર્મ ગતિ હોય છે, અને પોતાના કર્મો અનુસાર ભાગ્ય પ્રાપ્ત થાય છે. તો બે વ્યકતિઓના કર્મફળ એકસાથે કેવીરીતે ઘટિત થાય? તેથી આ કથન સંપૂર્ણ સત્ય છે કે સમુદ્રમાં અથડાયેલા બે લાકડા ફરી ક્યારેય નથી મળતા.

તો પછી શાસ્ત્રોના ઋણાનુબંધનું શું?

શાસ્ત્રોમાં જે ઋણાનુબંધ જણાવવામાં આવ્યા છે તે પણ બધા ખૂબ ઓછી સંભાવનાઓવાળા છે. પરંતુ આ સંભાવનાઓ ત્યારે બને છે જ્યારે આવી કેટલીક પરિસ્થિતિ ઉદ્ભવે:
  1. જ્યારે કોઈ મનુષ્ય કોઈ તીવ્ર ભાવનાથી બીજા મનુષ્ય સાથે જોડાયેલો હોય — પછી તે પ્રેમ હોય, દ્વેષ હોય કે બદલો હોય — અને પોતાના મૃત્યુ સમયે પણ તે જ ભાવના સાથે મૃત્યુ પામે. 
    • યાદ રાખો, મૃત્યુ સમયે મનમાં આવતી ભાવના અત્યંત પ્રબળ હોય છે. તેનું પરિણામ આગલા જન્મમાં જ મળે છે. જેમ કે, જો મૃત્યુ સમયે કોઈ પ્રાણીનું ધ્યાન આવે તો આગલો જન્મ તે જ પ્રાણીનો મળે છે (મહાત્મા જડભરતની કથા). આ રીતે મારનાર મનુષ્ય કોઈ વ્યક્તિ સાથે તીવ્ર ભાવનાથી જોડાયેલ હોય તો આ શક્યતા ઘટિત થાય છે. જો સામેવાળી વ્યક્તિનો જન્મ થવામાં સમય લાગે તો તેની આત્મા એટલા સમય સુધી પ્રેત બનીને ભટકે છે.
  2. જ્યારે કોઈ અતિપુણ્યશાળી વ્યક્તિ પોતાના પુણ્ય અને તપોબળથી પોતાનો આગલો જન્મ નિશ્ચિત કરે. 
    • હા, આવું પણ શક્ય છે. જે લોકો ખૂબ તપસ્વી હોય છે તેમને પોતાનો આગલો જન્મ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આવા સંજોગોમાં ઘણી આત્માઓ એવી હોય છે જે પોતાના જ કુળમાં ફરીથી જન્મ લેવા માગે છે. આવી જીવાત્માઓ સ્વર્ગમાં રહીને કોઈ યોગ્ય યોનિની રાહ જુએ છે, અને જ્યાં સુધી તેમને પોતાની પસંદના માતા-પિતા ન મળે, અથવા જેની સાથે તેમણે જીવન વિતાવવું હોય તે જીવાત્માઓ ન મળે, ત્યાં સુધી તેઓ રાહ જુએ છે.
આ રીતે આ બંને ઘટનાઓ ખૂબ જ ઓછી શક્યતાઓ ધરાવે છે. જેવી રીતે સમુદ્રમાં બે લાકડાઓનું ફરીથી અથડાવું!

તો શું પતિ-પત્નીના સાત જન્મોના બંધનવાળી વાત અસત્ય છે?

પહેલી વાત તો એ કે આ સાત જન્મોની વાત કોઈ શાસ્ત્રોમાંથી પ્રમાણિત નથી, એ લોકોક્તિ છે. પરંતુ જેમ મેં ઉપર કહ્યું, જો પતિ-પત્નીનો આ એક કઠોર અને ગહન સંકલ્પ હોય, તો તેમના પુણ્યો અનુસાર આ સંભાવના બની શકે છે. જે જન્મમાં આ કઠોર સંકલ્પ કરવામાં આવ્યો હોય, ત્યાંથી જ પહેલો જન્મ ગણવો જોઈએ. પછી ભલે કૂતરા-કૂતરીનો, કે પપૈયા (ના ઝાડ) અને પપૈયી નો જન્મ કેમ ન મળે 😂😂. વાસ્તવમાં આ લોક ધારણા પતિ-પત્નીને એકબીજા પ્રત્યે સંકલ્પબદ્ધ રાખવા માટે પ્રચલિત છે.

તો શું મૃત્યુ સમયે પોતાનો આગલો જન્મ પસંદ કરી શકાય છે?

આનો સીધો જવાબ એ છે કે હા, પસંદ કરી શકાય છે. પરંતુ આ એટલું સરળ નથી. મૃત્યુ સમયે ભગવાનનું નામ લઈને પણ મુક્ત થઈ શકાય છે, પરંતુ શું બધા આ કરી શકે છે? મનુષ્યને મૃત્યુ પણ તેના કર્મો અનુસાર જ મળે છે. જો જીવનભર ભગવાનનું નામ ન લીધું હોય તો મૃત્યુ સમયે પણ સ્મરણ નહીં રહે. મૃત્યુ સમયે મનુષ્યની જે ભાવના હોય છે, તેનો ખૂબ મોટો પ્રભાવ તેના આગલા જન્મ પર પડે છે. જો તે પોતાના ઘર અને વસ્તુઓ પ્રત્યે અત્યંત મોહગ્રસ્ત હોય તો તે પ્રેત જ બની જશે. મનુષ્ય પ્રેત કેવી રીતે બને છે તે જાણવા માટે મારા આ વિષય પરના અન્ય લેખો આવશે, તે વાંચો. તેથી આ અત્યંત જરૂરી છે કે મૃત્યુ સમયે મનુષ્ય શાંત રહીને ફક્ત ભગવાનનું ચિંતન કરે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે જીવનભર ભક્તિ કરી હોય.
સામાન્ય રીતે એવું જ થાય છે કે મનુષ્ય વિવિધ લોકોમાં પોતાના કર્મોનો ભોગ ભોગવીને તે જ કર્મોના આધારે આગલો જન્મ લે છે. એટલે કે કરેલા કર્મોનો બે વાર ભોગ ભોગવશે, એક તો સ્વર્ગ-નર્ક વગેરેમાં, અને બીજું તેના આગલા જન્મના પ્રારબ્ધ નિર્માણ દ્વારા.

જો મૃત્યુ સમયે ફરી જન્મ લેવાની ઈચ્છા જ ન હોય તો શું ફરી જન્મ મળશે?

આવું તમે ઘણી વાર થતું જોયું હશે. કોઈ વૃદ્ધ વ્યક્તિ પોતાના અંતિમ દિવસોમાં એવું કહેતો મળશે કે હવે તેને કોઈ ઈચ્છા નથી, હવે તેને ફરીથી આ દુનિયામાં નથી આવવું. પરંતુ મુક્તિ આવી રીતે નથી મળતી. એ વાત બરાબર છે કે જતા જતા પણ તે મનુષ્યને વૈરાગ્ય તો આવી ગયો, આ સારી વાત છે, પરંતુ તેના સંચિત કર્મોનું શું? એવું તો ન થઈ શકે કે જીવનભર તમે પાપ કરતા રહો, અને મૃત્યુ સમયે કહી દો કે હવે મારે કશું ભોગવવું નથી. તે કર્મોને ભોગવવા માટે ફરીથી આવવું જ પડશે, અને જેવું તમે ફરીથી આવશો, નવા કર્મો કરવાનું શરૂ કરી દેશો, અને ફરીથી ચક્ર શરૂ થઈ જશે! હા, જો પુણ્ય કર્યા હોય, ભગવાનનું નામ લીધું હોય, તો મૃત્યુ સમયે ભગવાન આવશે, અને પછી ભગવાન જ તમારા કર્મોનું ચુકવણું એવી રીતે કરાવશે કે તમારા કર્મો પણ છૂટી જાય, અને ભક્તિ પણ ટકી રહે.

તો પછી આવા ભટકતા પ્રેતો અને પિતૃઓ માટે શું કરવું?

મનુષ્ય જે પણ સુકર્મ કે દુષ્કર્મ કરે છે, તે પોતાના દેહથી જ કરે છે. જ્યારે પ્રેતો પાસે દેહ જ ન હોય તો તેઓ પોતાનું કલ્યાણ કેવી રીતે કરશે? તેઓ ભોગ કેવી રીતે ભોગવશે? તેથી તેઓ અન્યના શરીરમાં ઘૂસીને ભોગ પ્રાપ્ત કરે છે. અતૃપ્ત પિતૃઓ મનુષ્યોને ખૂબ કષ્ટ આપે છે. આવા પ્રેતો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, કારણકે એક જીવિત વ્યક્તિ જ તેમના માટે આ કર્મ કરી શકે છે. જો તમારા પિતૃઓ પ્રેત ન પણ બન્યા હોય, તો પણ, પિતૃલોકમાં તેમની તૃપ્તિ માટે શ્રાદ્ધ-તર્પણ વગેરે કરતા રહેવું જોઈએ. આના પ્રતિભાવમાં પિતૃઓ આપણને સંસારના બધા ભૌતિક સુખો પ્રદાન કરે છે. શ્રાદ્ધ કરતી વખતે તમારા પિતૃઓ પ્રત્યક્ષ હાજર રહીને પોતાના ભોગ ગ્રહણ કરે છે. રામાયણની કથા અનુસાર, જ્યારે સીતાજી શ્રાદ્ધના નિમિત્તે બ્રાહ્મણોને ભોજન પીરસી રહ્યા હતા, ત્યારે તેમણે બ્રાહ્મણોમાં પોતાના સસરા શ્રી દશરથજીને જોયા. આ વિષય પર મારો એક વિશેષ લેખ આવશે.----------------------------------------------------------------------------------------------
હવે આ શ્રેણીમાં આગળ આપણે જોઈશું કે મનુષ્યનું ભાગ્ય વધુ બળવાન હોય છે કે તેનું કર્મ.આગળ આપણે ભાગ 5 માં જોઈશું કે:
  1. મનુષ્યનું ભાગ્ય વધુ બળવાન હોય છે કે કર્મ? જ્યારે બધું જ ભાગ્યમાં લખેલું હોય તો કર્મ કરવાથી શું લાભ?
  2. શું કર્મ કરવાથી ભાગ્ય બદલી શકાય છે?
  3. સારા કર્મો તો નાસ્તિક લોકો પણ કરે છે, તો તેમને કેવું ફળ મળે છે?
  4. તો પછી આ કર્મફળના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળશે?
  5. શા માટે ભક્તોને અન્ય પાપીઓની સરખામણીમાં વધુ દુઃખ મળે છે?

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે