કર્મ સિદ્ધાંત ભાગ - ૩ - શું કર્મોની ગતિને સમજવું કોઈપણ મનુષ્ય અથવા સૌથી મોટા મહાત્મા માટે શક્ય છે?

આ લેખમાં આપણે જોઈશું કે:
  1. કર્મોની ગતિ કેટલી જટિલ હોય છે
  2. કર્મોનું ફળ નક્કી કરવા માટે ઈશ્વરે શું શું ધ્યાન રાખવું પડે છે
  3. ઉદાહરણ દ્વારા સમજીશું કે કર્ણાવતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એકસાથે ૨૫૦ લોકો કેવી રીતે મૃત્યુ પામ્યા હશે

 ---------------------------------------------------------------------------------------------------------

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः।

अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः

:
કર્મની પ્રકૃતિને સમજવી જોઈએ, વિકર્મ (નિષિદ્ધ કર્મ)ને પણ સમજવું જોઈએ, અને અકર્મ (નિષ્ક્રિયતા)ને પણ સમજવું જોઈએ. કર્મોની ગતિ ખૂબ ગહન (જટિલ) છે.

ભગવદગીતા શ્લોક (૪.૧૭):-------------------------------------------------------------------------------------------
વિગતવાર સમજૂતી:ભગવદગીતાના ઉપરોક્ત શ્લોકને તમે સાંભળ્યો હશે, અને "ગહના કર્મણો ગતિઃ" ખૂબ પ્રચલિત વાક્ય છે. ચાલો, સૌથી પહેલાં શ્લોકનો સામાન્ય અર્થ સમજીએ.
: જે કર્મ કરવા યોગ્ય છે.
િ: જે કર્મ ત્યાજ્ય છે.
: એવા કર્મ જે થાય તો છે, પરંતુ તેની સાથે કર્તૃત્વનો ભાવ જોડાયેલો નથી.

ભગવાન કહે છે કે મનુષ્યએ પોતાના કલ્યાણ માટે ત્રણ પ્રકારના કર્મોને સમજીને, જે કર્મ કરવા યોગ્ય છે તે કરવા જોઈએ, જે ત્યાજ્ય છે તે કરવા જોઈએ, અને દરેક કર્મને અકર્મણ્ય ભાવથી કરવું જોઈએ. મનુષ્યએ યથાશક્તિ આને સમજવું જોઈએ, કારણ કે કર્મોની ગતિ ખૂબ ગહન છે.
શ્લોક પર તો ૧૦૦૦ પાનાનું પુસ્તક લખી શકાય, અને તેમ છતાં તેનું મહાત્મ્ય પૂરેપૂરું લખી શકાય નહીં. તેથી, આખા શ્લોકનું વિવેચન હું અહીં નહીં કરું, પરંતુ કર્મ સિદ્ધાંતને સમજવા માટે "ગહના કર્મણો ગતિઃ" વાક્યને સમજવું અત્યંત આવશ્યક છે. તેથી હું વિષય પર ચર્ચા કરીશ.

गहना कर्मणो गति:- કર્મની ગતિ ગહન હોય છે

ગતિ ગહન તો હોય છે, પરંતુ કેટલી ગહન હોય છે?
આ વિષયને સમજવા માટે આ શ્રેણીનો પહેલો ભાગ વાંચવો જરૂરી છે.
  • મનુષ્ય પોતાના જીવનકાળમાં નાના-મોટા કરોડો કર્મો કરે છે, અને કરોડો કર્મોનું ભોગવણ પણ કરે છે. એક-એક શ્વાસ પર કર્મ થાય છે, અને એક-એક શ્વાસ પર કર્મોનું ભોગવણ પણ થતું રહે છે. કઈ ક્ષણે આપણે કયા જન્મના કર્મનું ભોગવણ કરી રહ્યા છીએ, એ કોઈ કહી શકે નહીં. આપણા મનુષ્ય જીવનના અંતર્ગત આપણે મોટા-મોટા અને નાના-નાના કર્મો કરતા રહીએ છીએ, જેનું ફળ પણ આપણને મળતું રહે છે.
  • આપણા માતા-પિતા, ભાઈ-બહેન, અને એ બધા લોકો જેઓ આપણા જીવનની નાની-મોટી ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે, તેઓ બધા પોતપોતાના કર્મોનું ભોગવણ કરવા માટે જ આપણી સાથે જોડાયેલા હોય છે. 
  • જે પણ જીવ આપણી આસપાસ હોય છે - જેમ કે કોઈ પાલતુ પ્રાણી, વૃક્ષો-છોડ, વગેરે - એટલું જ નહીં, કેટલીક વખત તો નિર્જીવ વસ્તુઓ પણ પોતાનું ભોગવણ કરવા માટે જ આપણી સાથે જોડાયેલી હોય છે.
  • જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ, જેમાં પ્રત્યક્ષ રૂપે વ્યક્તિસમૂહમાં કોઈ જોડાણ નથી, તેમ છતાં તેની અસર પડે છે. ઉદાહરણ તરીકે, કોરોનાના સમયે ઘણા લોકો એવા હતા જેમણે ઘણા પૈસા ગુમાવ્યા, અને કેટલાક એવા હતા જેમણે ઘણા પૈસા કમાયા. ગુમાવનારાના પૈસા કમાનારને મળી ગયા, જ્યારે તે બંને વ્યક્તિસમૂહ વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નહોતો. આ પણ ભાગ્યની જ રમત છે.
  • કેટલાક લોકો સાથે પૂર્વજન્મના ઋણાનુબંધ હોય છે, જે આપણે આ જન્મમાં ચૂકવવાના હોય છે. પરંતુ બંને વ્યક્તિના પૂર્વજન્મના મૃત્યુ પછી તેમની પોતપોતાની ગતિ થઈ હશે. ઉદાહરણ તરીકે, પાછલા જન્મમાં પતિ-પત્નીના કેટલાક ઋણાનુબંધ બાકી રહી ગયા હતા, જે આ જન્મમાં પૂર્ણ કરવાના છે. પરંતુ એવું બની શકે કે પત્નીના મૃત્યુ પછી તેને તરતજ બીજો મનુષ્ય જન્મ મળી ગયો, અને પતિ હજારો-લાખો વર્ષો સુધી વિવિધ યોનિઓમાં ફરતો રહ્યો. તો પત્નીના ભાગ્યનું શું થશે? શાસ્ત્રો કહે છે કે, લાખો કે કરોડો વર્ષો પછી પણ આ બંને એકબીજાના ઋણ ચૂકવ્યા વિના મુક્ત થઈ શકે નહીં. જ્યાં સુધી તેઓ ફરીથી નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાના અન્ય સંચિત કર્મોનું ભોગવણ કરતા રહેશે.

ઉદાહરણ:
થોડા સમય પહેલાં (કર્ણાવતી) અમદાવાદમાં થયેલા વિમાની અકસ્માતમાં ૨૫૦ થી વધુ લોકો એકસાથે મૃત્યુ પામ્યા. તેની સાથે ત્યાં કેટલાક નાના-મોટા જીવો પણ હશે - જેમ કે વૃક્ષો, શ્વાન, અને સૂક્ષ્મ જીવો - આ બધાનું મૃત્યુ એક જ સમયે, એક જ રીતે કેમ આવ્યું? એ પણ આટલું ભયંકર! કર્મસિદ્ધાંત અનુસાર આપણે કહી શકીએ કે આ બધા લોકોના ભાગ્ય તેમના અલગ-અલગ જન્મોના એકઠા થયા અને અહીં તેનું ભોગવણ થયું. એવું બની શકે કે કોઈએ ૫ કરોડ વર્ષ પહેલાં કોઈ જીવને સળગાવીને માર્યો હોય, કોઈએ પાછલા કલ્પમાં (અરબો-અરબો વર્ષ પહેલાં) કોઈ જંગલમાં આગ લગાવી હોય, અથવા કોઈએ આ જ જન્મમાં કોઈ જીવને ઉપરથી નીચે ફેંકીને માર્યો હોય! મૂળ વાત એ છે કે ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધા લોકો પોતપોતાના કર્મોનું ભોગવણ કરવા માટે એકસાથે એકઠા થઈ ગયા. યાદ રાખો, આ બધા લોકોનો જ્યારે જન્મ થયો હતો ત્યારે જ નિશ્ચિત હતું કે બધા લોકો આવી રીતે એકસાથે મરશે. તેઓ સાથે મારવા માટે જ જન્મ્યા હતા, પણ તે બધાના જીવન દરમ્યાન બીજા કર્મોનો ભોગ તેમણે ભોગવ્યો, અને કૈંક નવા કર્મો પણ કર્યા.. વિચારો, કેટલી ગૂઢ ભાગ્ય રચના કરવામાં આવી હશે!

વિચારો, જે ઈશ્વરને બધા કર્મોની ગતિ નક્કી કરવાની છે એમને શું શું કરવું પડે:

  1. કયા કર્મોનું ફળ તે કયા-કયા લોકમાં કેવી રીતે ભોગવશે.
  2. કયું કર્મ કયા જન્મમાં ભોગવશે.
  3. તેની સાથે એવા લોકોને જોડવામાં આવે જેમના પોતાના પણ કર્મો ભોગવાય અને આ વ્યક્તિ સાથે જોડાયેલા કર્મો પણ ભોગવાય. બધાનો યોગ્ય સમયે જન્મ થાય, અને એકબીજાના સંપર્કમાં ક્યારે અને કેવી રીતે આવે તે પણ નિશ્ચિત કરવું પડે. એટલું જ નહીં, એક નાનકડી ઘાસની પટ્ટી પણ ઘરના આંગણામાં ઉગાડવા માટે તે પટ્ટીના જીવના અને તે ઘરના સ્વામીના ભાગ્યનું ભોગવણ એકબીજા સાથે જોડાવું જોઈએ.
  4. અને આ બધું કામ અનેક લોકોના અનેક જીવોના ખાતાને યાદ રાખીને, દેશ-કાળ-પરિસ્થિતિ અનુસાર કરવું. ઉદાહરણ તરીકે, આ પૃથ્વી પર વાયરસથી લઈને બ્લૂ વ્હેલ સુધી અસંખ્ય જીવો રહે છે. તેમના જીવનના સુખ-દુઃખના પોતાના નિયમો હોય છે. પછી દરેક દેશની સંસ્કૃતિ અનુસાર દુઃખ-સુખ હોય છે (જેમ કે ભારતમાં નાની ઉંમરે માતા-પિતાથી વિયોગ દુઃખદાયી છે, પરંતુ અમેરિકામાં આ સામાન્ય બાબત છે), તેનું ધ્યાન રાખવું. પછી માત્ર પૃથ્વી લોક જ નથી, એવા અનેક લોકો છે, તેમના પોતાના નિયમો પણ છે, તેમના અનુસાર કર્મફળ નક્કી કરવું. પછી એવા અનેક બ્રહ્માંડો પણ છે જ્યાં બિલકુલ અલગ નિયમો લાગુ પડે છે, તે બધાનું સમન્વય કરવું.
ઉપર આપેલું વર્ણન પણ માત્ર મારી પામર બુદ્ધિથી આપેલું છે. સર્વશક્તિમાન પરમેશ્વર તો આનાથી પણ ઘણું વધુ જટિલ કામ કરે છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
આ જ કારણ છે કે શાસ્ત્રો કર્મોની ગતિને લઈને માત્ર એટલું જ કહે છે કે "ગહના કર્મણો ગતિઃ" અને સાથે એ પણ કહે છે કે કર્મોની ગતિને સમજવું એ માત્ર "સર્વજ્ઞ"ના જ બસનું કામ છે. અને સર્વજ્ઞ ફક્ત ઈશ્વર જ હોય છે, બીજું કોઈ હોઈ શકે નહીં. શાસ્ત્રો આનાથી વધુ કંઈ કહી પણ ન શકે. જો તમે ઈશ્વરને જાણી પણ લો, મોક્ષના અધિકારી પણ બની જાઓ, તો પણ તમે સર્વજ્ઞ ન બની શકો. કારણ કે મોક્ષ ત્યારે મળે છે જ્યારે તમે ઈશ્વરમાં પોતાને વિલીન કરી દો. પરંતુ એ અવસ્થામાં પણ તમે પોતે ઈશ્વર નથી બની જતા. જેમ પાણીનું એક ટીપું સમુદ્રમાં ભળીને પોતે સમુદ્ર જ થઈ ગયાનો અનુભવ કરે છે, પરંતુ વાસ્તવમાં તે આખો સમુદ્ર નથી હોતું.
આનાથી એક આશ્ચર્યજનક વાત એ પણ છે કે, આવા સર્વશક્તિમાન, સર્વજ્ઞ ઈશ્વર કૃષ્ણ લલ્લા બનીને તમારી નાનકડી મૂર્તિમાં કેવી રીતે સમાઈ જાય છે! સાચું જ કહેવાયું છે કે ઈશ્વર ખૂબ જ કૃપાળુ અને સરળ છે!
--------------------------------------------------------------------

આગળનો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર આ જન્મમાં મળેલા લોકો પોતાના સારા-ખરાબ કર્મોનો હિસાબ લેવા માટે ફરીથી આગલા જન્મમાં મળે છે? આ પ્રશ્નનો જવાબ આપણે આગલા ભાગમાં જોઈશું.

કર્મ સિદ્ધાંત - ભાગ 4 માં આપણે જોઈશું કે:
  1. શું ખરેખર પૂર્વ જન્મના લોકો  જન્મમાં મળે છે?
  2. શું કોઈને પોતાનો આગલો જન્મ પસંદ કરવાનો વિકલ્પ મળે છે?
  3. શું પતિ-પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે?
  4. આગલો જન્મ મળવાનો શું આધાર હોય છે?
  5. જો મૃત્યુ સમયે ફરી જન્મ લેવાની ઈચ્છા   હોય તો શું ફરી જન્મ મળશે?
  6. શ્રાદ્ધ-તર્પણ શા માટે જરૂરી છે?

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે